Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુરેન્દ્રનગરમાં શિયાળો આવ્યો છતા શાકભાજીના ભાવ આસમાને

તા.૨૧ : શહેરમાં ચોમાસામાં સતત વરસાદ ચાલુ રહ્યા બાદ શિયાળામાં પણ માવઠું થતા સુરેન્દ્રનગર શહેરમાં લીલા શાકભાજીની આવક શિયાળો શરૂ થવા છતા પણ ન આવતા શાકભાજીના ભાવો મારે આસમાને પહોચ્યા છે.

હજુ પણ શાકભાજી આવવામાં સમય લાગે તેવી સંભાવના વર્તાઇ રહી છે. ત્યારે શાકભાજીની બજાર ઉંચી રહેવાની સંભાવના વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

બજારમાં શાકભાજીની આવક મર્યાદિત રહેતા શિયાળુ હોવા છતા પણ ભાવો આસમાને ગયા છે ત્યારે મહિલાઓમાં શાકભાજીને ભાવોને લઇને દેકારો બોલી ગયો છે. હવે દરેક લોકો શાકભાજીના ભાવ ઘટે તેની રાહ જોઇ રહ્યા છે.

(11:29 am IST)