Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જોડિયાધામની રામવાડીમાં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતિ નિર્વાણ બડા અખાડાના સંતોનું બપોરે આગમન

વાંકાનેર તા ૨૧  : જોડીયાધામની ''રામવાડી''માં સંતશ્રી ભોલેબાબાજી ના મંદિર ખાતે આજે અલ્હાબાદ-તીર્થરાજ પ્રયાગરાજના શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાના સંતોનું બપોરે ૩.૦૦ કલાકે આગમન : સંતોના આગમનને વધાવવા તૈયારી થઇ રહી છે.

સમગ્ર જોડીયા ધામ દ્વારા બેન્ડ પાર્ટી અને  શંખોદ્વારા થી ''સંતોના  સામૈયા'' પાંજરા પોળ ખાતે કરાશેઃ જયાંથી વિશાળ જન મેદની સાથે રામવાડીએ પહોંચશે. ઉદાસીન આચાર્યદેવ જગતગુરૂશ્રી ચન્દ્ર ભગવાનની આરતીનો લાભ ભાવિકોને મળશે તેમ પ.પૂ. મહંતશ્રી હરિદાસજીબાપુ તેમજ જોડીયા રામવાડીના અનન્ય સેવકશ્રી શનીભાઇ વડેરા, હીતેશભાઇ રાચ્છે જણાવેલ છે.

આજરોજ તા.૨૧મીના બપોરના ૨.૩૦ કલાકે પાંજરાપોળથી સંતોના સામૈયા નીકળશે, જે મુખ્ય બજાર પર પરિભ્રમણ કરી જોડીયાધામની રામવાડીમાં પહોંચશે, જયાં પુજન-અર્ચન વિીધી, સંતોનું સન્માન, આરતિ થશે. ત્યારબાદ જેટલા ભાવિકો આ સંતોના સામૈયામાં હશે તે બધા માટે ''રામવાડી''માં ગુંદી ગાંઠીયા તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. જોગાનુજોગ આજે પૂ. જલારામબાપાના ધર્મ પત્નીશ્રી વીરબાઇમાં ની પુણ્યતીથી પણ છે

(11:26 am IST)