Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પરિક્રમાં દરમ્યાન આશ્રમોમાં અન્નક્ષેત્રોનો ધમધમાટ

ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા અવિરત અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં ભવનાથ તળેટી સ્થિત શિવગૌરક્ષ આશ્રમ ખાતે પુ.શેરનાથબાપુ દ્વારા ભાવિકો માટે સ્વયંસેવક બહેનો મોટી ચુલ બનાવી તેમાં તાવડી પર ગરમાગરમ રોટલા રોટલી બનાવી રહી છે. તેમજ સૂર્યમંદિર સરદારપરાના મહંત મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ દ્વારા ભવનાથ શ્રી સદ્દગુરૂ ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર પરિક્રમાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પુ.જગજીવનદાસબાપુ, પુ.વિશ્વેશબાપુ ખડેપગે પરિક્રમાર્થીઓને ગરમાગરમ ગાંઠીયા ગુંદી મોહનથાળ રોટલા રોટલી શાક કઢી ભાત ખીચડી ભાવપૂર્વક જમાડી રહ્યા છે જેમાં ભોજન લેતા ભાવિકો નજરે પડે છે.

(1:50 pm IST)