Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં ઇદની ઉજવણીઃ ભવ્ય ઝૂલૂસ

ઠેર-ઠેર સરબતનું વિતરણ-ન્યાઝ, સન્માન સહિતના કાર્યક્રમોમાં મુસ્લિમ બિરાદરો જોડાયા

 વઢવાણ તા. ર૧ :.. સુરેન્દ્રનગર-વઢવાણમાં આજે બારે વફાતનાં ભવ્ય ઝૂલૂસ પ્રસ્થાન થયા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક પાસેના ઘાંચીવાડના નાકા પાસેથી બારે વફાતના ઝૂલૂસ પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતાં.

ત્યારે સુરેન્દ્રનગર ભવ્ય ઝૂલૂસોમાં ટ્રકો અને રિક્ષા, ઘોડા અને ઝૂલૂસમાં ડી. જે.ના તાલે આજે ઠેર ઠેર મુસ્લીમ બિરાદરો દ્વારા નારા લગાવી હુઝૂરની આમદ મરહબા અને સબસે ઉંચા નબીકા ઝંડા પુકારો પા રસુલિલાહના નારા લગાવતા મુસ્લીમ બિરાદરો જોવા મળતા હતાં.

જયારે સુરેન્દ્રનગર ટાવર ચોક જવાહર ચોક, દેરાસર ચોક, હેન્ડલુમ, ખિજડીયા હનુમાન ચોક, ટાંકા ચોકમાં આવી ઝૂલૂસનુ વિસર્જન કરવામાં આવેલ હતું જયારે મદ્રેસામાં ઇસ્લામીક તાલીમ લઇ રહેલા મુસ્લીમ વિદ્યાર્થીઓ દ્વારા આજના દિવસે હુજુર ની સાનમાં પોતાના વકતવ્યો આપી વાએઝનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વાએઝના કાર્યક્રમ બાદ મુસ્લીમ સમાજ દ્વારા ઇનામો બાળકોને આપવામાં આવ્યા હતાં.

જયારે જુલુસના પ્રસ્થાન સમયે ઠેર ઠેર સરબત, નાસ્તા, પાણી, ચોકલેટ, બિસ્કીટ વગેરે ચિઝ વસ્તુઓનું મુસ્લીમ બિરાદરો દ્વારા ખાસ વિતરણ કરવામાં આવેલ હતું. જયારે આજરોજ સુરેન્દ્રનગરમાં બારે વફાતના ભવ્ય જૂલૂસોના  પ્રસ્થાનમાં હાજી સૈયદ યુસુફ માયાબાપુ કોમી એકતાના રાહબર તેમજ સુરેન્દ્રનગર જુમ્મા મસ્જીદના શેરે ખિતાબ પેશીમામ હાજી હનીફબાપુ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારના મચ્છી વાળા બાપુ લકમાપરાના હાજી ગૌરૈયાબાપુ, ડાડાબાપુ હાજી ઇરફાનબાપુ વગેરે જૂલૂસમાં જોડાયા હતાં. સમાજના રાહબરો સમાજ સેવકો ઉપસ્થિત  રહયા હતાં.

જેમાં એસ. આર. કુરેશી, હાજી સિકંદરભાઇ ખોખર (પીર ભડીયાદ કમીટીના અધ્યક્ષ) તેમજ હાજી ફારૂકબાપુ તેમજ સુરેન્દ્રનગર શહેરની મસ્જીદોના મૌલાના જૂલૂસમાં જોડાયા હતાં.

જયારે વઢવાણમાં આજે કસ્બા શેરી ચોરા પાસેથી જૂલૂસોનું પ્રસ્થાન થયેલ હતું જયારે જૂલૂસ વઢવાણના જાહેર માર્ગો ઉપર ગફતકરી વઢવાણ ઘાંચીવાડ ભાદર કઠીયા, સુન્ની મુસ્લીમ સમાજના મસ્જીદ તેમજ સિપાઇ જમાતખાનામા વાએઝ પ્રૌગ્રામ રાખવામાં આવેલ જયારે ગની ફળીયાના ઝૂલૂસ સહિતના જૂલૂસ નિકળ્યા હતા અને કોમી એખલાસ ભાઇચારાના ભાવના સાથે ઉજવણી કરાઇ હતી.

જિલ્લાના ધ્રાંગધ્રા તેમજ પાટડી - દસાડા જૈનાબાદમાં પણ બારે વફાતના ભવ્ય જૂલૂસ પ્રસ્થાન કરવામાં આવ્યા હતાં.

જયારે કોમી એખલાસ ભાઇચારાના ભાવના સાથે જુલુસ પ્રસ્થાન થયા છે. જયારે ચોટીલામાં લીંબડીમાં લખતરમાં પણ બારે વફાતના ભવ્ય જુલુસ પ્રસ્થાન થયા છે.

મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવેલ છે. જયારે સુરેન્દ્રનગર શહેરના હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ હઝરત પિર પાગલબાપુ ગ્યાસુદીનબાવાના મઝાર શરીફ ખાતે ઇસ્લામીક તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓ દ્વારા વાએઝનો કાર્યક્રમ યોજાયો હતો.

જયારે સિકંદરભાઇ ઇબ્રાહીમભાઇ અને તેમના પરીવાર દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. જયારે ભાઇચારાની ભાવના સાથે ઇદે મિલાદની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવેલ છે.

(1:50 pm IST)