Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હઝરત મહમદ પૈગંબર સાહેબના ૧૪૯રમાં જન્મદિન નિમિતે ખંભાળિયા સુન્ની મુસ્લીમ બિરાદરો દ્વારા ઇદે મિલાદુ નબીની ઉજવણી

ખંભાળીયા તા. ર૧ : સમગ્ર દેશમાં આજે ઇદે મિલાદુ નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયા સુન્ની મુસ્લીમના બિરાદરો દ્વારા પણ ભવ્ય ઝૂલુશ સવારી સાથે ઇદે મિલાદુ નબીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુન્ની મુસ્લીમના વડા અને જેમને અલ્લાહનું રૂપ આપવામાં આવ્યું છે તેવા મહમંદ પૈયંગબર સાહેબના આશરે ૧૪૯રમાં જન્મદિન નિમિતે મુસ્લીમ સમાજ દ્વારા આજે જશ્ને ઇદ-એ-મિલાદુ નબીની ઉજવણી કરવામાં આવી રહી છ.ે ખંભાળિયા ખાતે સવારે સુન્ની મુસ્લીમના બિરાદરો મોટી સંખ્યામાં એકઠા થઇ ઇદ-એ મિલાદુ નબીની એક-મેકને ગળે મળી શુભકામના પાઠવવામાં આવી હતી. જે બાદ ભઠી ચોક ખાતેથી વાહનોના શણગાર સાથે ભવ્ય ઝૂલુશ નિકળ્યું હતું જે શહેરના રાજમાર્ગો પર ફળી હતું ઝૂલુસ દરમ્યાન શહેરના દરબારગઢ ખાતે મહમદ પૈયંગબર સાહેબના જન્મદિનની બધાઇ આપવા રપ કિલ્લો કેક કાપી જશ્ન મનાવવામાં આવ્યો હતો તેમજ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના સતવારા ચોરા પાસે હિન્દુ સમાજના લોકો દ્વારા પ્રસાદીનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

(1:42 pm IST)