Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરેન્‍દ્રનગર જિલ્લામાં એકતા યાત્રાને જનસમર્થન

 વઢવાણ : દેશના લોખંડી પુરૂષ અને એકતા અને અખંડીતતાના પ્રખર હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્‍ધાંજલિ આપવા સમગ્ર રાજયમાં એકતા યાત્રા પરિભ્રમણ કરી રહી છે. બે તબકકામાં આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમા બીજા અને છેલ્લા ચરણોમાં એકતા યાત્રા સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અંતરિયાળ ગામમાં પરિભ્રમણ કરી રહી છે. જયા યાત્રાને વ્‍યાપક સમર્થન મળી રહયું છે.  પાટડી તાલુકાના છેવાડે આવેલા વડગામ, આદરીયાણા, નગવાડા જેવા ગામોમાં આ યાત્રાને વ્‍યાપક આવકાર મળી રહયો છે અને ગ્રામજનો સ્‍વયંભુ એકઠા મળીને આરતી ઉતારે છે અને એકતા અને અખંડીતતાની પ્રતિજ્ઞા લે છે. આ અગાઉ યાત્રા લીંબડી તાલુકાના બોરાણા, ઉધલ, કારોલ, મોજીદડ, વેજલકા તથા લીંબડી નગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાના વિસ્‍તારમાં પરિભ્રમણ કરેલ હતું. (તસ્‍વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(1:06 pm IST)