Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભાવનગરઃ કૃષ્ણ ભગવાનના મંદિરનો શિલાન્યાસ પૂજન

ભાવનગરઃ સુરેન્દ્રનગર પાસે ખેરવા અખીયાણા રોડ પર કાળીયા ઠાકરનું ભવ્ય દિવ્ય નૂતન મંદિરનો શિલાન્યાસ પૂજન પૂ. મહંત નારાયણદાસ બાપુ અને સૌરાષ્ટ્રના દેહાણ જગ્યાના સંતો-મહંતોના હસ્તે થયેલ આ પ્રસંગે યોજાયેલ ધર્મસભાને સંબોધતા પુ.મુકતાનંદબાપુ અંબારામદાસ, નીમોર્હી પીઠાધીશ્વર કણીરામબાપુ, વાસુદેવ મહારાજ, દલસુખ મહારાજ, જાનકીદાસબાપુ દ્રશ્યમાન છે. સાથોસાથ સોનગઢના કિશોરબાપુ, પ્રેમદાસબાપુ વી.નું સન્માન લઘુ મહંત ભારદાસબાપુ કોઠારી લાલદાસજી તેમજ યુવા સંત ભગવાનદાસ મહારાજ કરતા નજરે પડે છે. ધર્મસભાનું સફળ સંચાલન બોટાદના પ્રભાવક વકતા મહેશભાઇ ગઢવીએ કરેલ હતું. શિલાન્યાસ પુજન અવસરે રાત્રે કીર્તીદાન ગઢવી માયાભાઇ આહીર, બીરજુ બારોટ, મેહુલ રબારી, મનીષ ગોસ્વામી વી. સ્વર સાધકોએ સંતવાણી પીરસી તરબોળ કર્યા હતા.

(11:42 am IST)