Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ખંભાળીયામાં મહીનાઓ પછી શૂન્ય કેસ

દ્વારકા જિલ્લામાં કોરોનામાં ટાઢોળુ : માત્ર ચાર કેસ જ

ખંભાળીયા, તા. ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારી હવે ધીમી પડતી જતી હોય તેમ સતત બે દિવસથી માત્ર ચાર-ચાર જ કેસ સમગ્ર જિલ્લામાં નોંધાઇ રહ્યા છે.

ગઇકાલે ભાણવડમાં એક, દ્વારકામાં એક તથા કલ્યાણપુરમાં બે કોરોના પોઝીટીવ નોંધાયા હતાં. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ કેસ જયાં નોંધાયા છે તે ખંભાળીયા શહેર તથા તાલુકામાં શૂન્ય કેસ ગઇકાલે હતાં એટલે કે મહીનાઓ પછી પ્રથમ વખત ગઇકાલે ખંભાળીયામાં એક પણ કેસ નોંધાયો નથી. ભાણવડમાં એક તથા ખંભાળીયામાં ચાર મળીને કુલ પાંચ ડિસ્ચાર્જ થયા હતાં.

પાંચ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ ખંભાળીયાના જુના તથીયા ગામ, હર્ષદપુરનું સંજયનગર, હનુમાન મંદિર પાસે ભોગાતા, કલ્યાણપુર, સુદામાપુરી દ્વારકા તથા ગઢકાના રોડ વાડી વિસ્તારમાં પાંચ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા હતાં.

(1:01 pm IST)