Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કંડલા પોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાને આપઘાત કરતા ચકચાર

ભુજ,તા.૨૧:  કંડલા પોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફના ૨૬ વર્ષીય જવાન ચંદનમલ મોતીરામ ગોધારાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક જવાન કંડલા બંદરે આવેલ સીઆઈએસએફના કેમ્પસમાં રહેતો હતો, તે બે દિવસથી ડ્યુટીએ ન આવતાં તેની તપાસ કરવા ગયેલ સીઆઈએસએફના પીએસઆઇ વિનોદ સચદેવ સિંધને તે દ્યેર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

મૃતક જવાન રાજસ્થાનના બિકાનેરનો હતો અને હાલ કંડલા પોર્ટ ઉપર ફરજ બજાવતો હતો. તેના આપદ્યાતનું કારણ જાણવા મળ્યું નથી.

(12:05 pm IST)