Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ટંકારાના વાછક્પર ગામે પાણીના ખાડામાં ડૂબી જતા તરુણનું મોત.

ટંકારાના વાછકપર ગામે કોઈ કારણોસર પાણીના ખાડામાં ડૂબી જતા તરુણનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના વાછક્પર ગામે રેહતા કાળુભાઈ પરમારનો ૧૫ વર્ષનો દીકરો ગંગાદાસ ગત તા,૧૯ ના રોજ સાંજના સુમારે કોઈ કારણોસર પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)