Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુ ની સારવાર દરમિયાન બે દર્દીના મોત : ચેલા અને કલ્યાણપુરના વ્યક્તિનો ભોગ લેવાતા અરેરાટી

જામનગરની જી.જી.હોસ્પિટલમા દાખલ થયેલા ડેન્ગ્યું પોજીટીવના બે દર્દીઓના આજે સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જે દર્દીઓના મોત થયા છે તેમાં એક દર્દી ચેલા ગામનો ૧૯ વર્ષીય યુવક જયારે બીજા દર્દી ૪૫ વર્ષીય  કલ્યાણપુરના રહીશ હોવાનું જાણવા અમલી રહ્યું છે, હાલારના જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો સતત વધી રહ્યો હોવાની નિશાની ડેન્ગ્યું પોજીટીવના દર્દીઓના મોત આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, આ તો દર્દીઓના મોત આજે થયા તે સિવાય અનેક દર્દીઓ ડેન્ગ્યું પોજીટીવની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમા લઇ રહ્યા છે, ત્યારે સફાઈનો અભાવ, દવાના છટકાવ અને સમજણ ના અભાવે રોગચાળો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.

(1:16 pm IST)