Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વિસાવદરના સરસઈમાં યુવક-યુવતિનો આપઘાત

બન્નેના લગ્ન શકય ન હોવાથી આંબાના ઝાડ સાથે લટકીને જીવ દીધો

જૂનાગઢ, તા. ૨૧ :. વિસાવદરના સરસઈની સીમમાં એક યુવક અને યુવતીએ આંબાના ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાય છે. મોતને મીઠુ કરી લીધુ હોવાનું જાણવા મળેલ છે.

 

આ અંગે મળેલી પ્રાથમિક વિગતો એવી છે કે, વિસાવદર તાલુકાના સરસઈ ગામની સીમમાં આવેલ એક ખેડૂતના આંબાના ઝાડ સાથે યુવક અને યુવતીની લાશ લટકતી હોવાની જાણ રાત્રે થતા વિસાવદરના જમાદાર આર.બી. દેવમુરારી વગેરે સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસે બન્નેની લાશ ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ મટો વિસાવદર ખાતે મોકલી આપી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર યુવાન જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનો સુભાષ ધીરૂભાઈ સોલંકી (ઉ.વ. ૧૯) અને મૃતક યુવતી પોરબંદરની વી.વી. બજાર વિસ્તારમાં રહેતી અનિતા રમેશભાઈ સોલંકી (ઉ.વ. ૧૮) હોવાનુ ખુલ્યુ હતુ.

બન્નેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી, પરંતુ બન્નેને પ્રેમસંબંધ હોવાનું અનુમાન છે.

જેમા બન્નેના લગ્ન શકય ન હોવાની શંકાએ બન્નેએ આંબાના ઝાડ સાથે લટકીને મોતને ગળે લગાડી લીધુ હોવાનું મનાય છે. વિશેષ તપાસ પોલીસ જમાદાર શ્રી દેવમુરારી ચલાવી રહ્યા છે.

(1:03 pm IST)