Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કણકોટમાં માનસીક બીમારીની દવાને બદલે ઝેરી પાવડર પી જતા વૃધ્ધાનું મોત

રાજકોટ તા. ૨૧ : કણકોટમાં રહેતા વણકર વૃધ્ધાએ માનસીક બીમારીની દવાને બદલે ભુલથી ઝેરી પાવડર પી જતા વૃધ્ધાનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કણકોટ ગામમાં રહેતા જીવીબેન જીવાભાઇ રાઠોડ (ઉ.વ.૮૦) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી પાવડર પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક જીવીબેનને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. તેને માનસીક બીમારીની દવા ચાલુ હોય તે દવાને બદલે ભુલથી ઝેરી પાવડર પી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)