Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

લાઠીના આસોદરમાં સગાઇ માટે રાહ જોવાનું કહેતા યુવક-યુવતિનો આપઘાત

અમરેલી તા.ર૧: લાઠીના આસોદરમાં રહેતા રમેશ નરશીભાઇ ભવાણીયાનો પુત્ર મહેશ રમેશભાઇ (ઉ.૧૭) ની લીલીયાના સનાળીયાની કિરણબેન ઉર્ફે દયા હકાભાઇ પરમાર સાથે સગાઇની વાતચીત ચાલતી હોય પણ કિરણના પિતાએ એક પુત્ર મોટો હોય તેના માટે કન્યા ગોતુ છું મળી જશે એટલે સાથે બધાની સગાઇ કરી આપીશું તેવું જણાવતા હોય જેથી સગાઇ થતી ન હોય આથી મહેશે  તેના ઘરમાં કિરણબેન સાથે છતહુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

(1:31 pm IST)