Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

તળાજાના હમીપરા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળ્‍યોઃ મોતના કારણની તપાસ

ભાવનગર, તા. ૨૧ :. તળાજા તાલુકાના હમીપરાના ડેમના પાણીમાં આજે એક યુવાનની તરતી લાશ પોલીસે કબ્‍જે લીધી છે. મૃતક યુવાન બે માસ પહેલા નજીકના ભારોલી ગામે આવેલ ખેતરમાં રહેતો હતો. પોતે ભાવનગર ગામનો રહેવાસી હોવાની ખેડૂતની ઓળખ આપી રહેતો હતો.

તળાજાના દિહોર બીટના પોલીસ કર્મી ગોવિંદસિંહ પરમારના જણાવ્‍યા પ્રમાણે આજે સવારે હમીપરા ડેમના પાણીમાં યુવાનની લાશ તરતી હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી યુવાનની લાશને બહાર કાઢી ડિ-કંપોઝ  શબ હોય ભાવનગર ખાતે પી.એમ. માટે મોકલી આપેલ છે.

પોલીસે જણાવ્‍યુ હતુ કે મૃતક બે માસ પહેલા ભારોલી ગામના ખેડૂત રાજભા બબભા ગોહિલની વાડીએ આવેલ. પોતાનું નામ વિજય જણાવેલ. ભાવનગરનો રહેવાસીની ઓળખ આપી અહીં ગોવાળનું કામ મેળવી રહેવા લાગ્‍યો હતો. છેલ્લા ત્રણ દિવસથી લાપત્તા બન્‍યો હતો. આજે આ વારસદાર વગરના યુવાનની લાશ મળતા ચકચાર મચી છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:36 pm IST)