Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભાવનગર યુનિ.ના ઉપકુલપતિ વાઘાણી સાથે પત્રકારોની વિચાર ગોષ્ઠિ

ભાવનગર યુનિ.માં ર૩ મીએ અટલ ઓડીટોરીયમનું લોકાર્પણ

ભાવનગર તા. ર૧ :  મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી ઉપકુલપતિ ગીરીશભાઇ વાઘાણીએ ભાવનગરના પત્રકારો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી.

ભાવનગર યુનિ.ને વધુ સારી રીતે કાર્યરત કરવા તથા વિકાસ કરવા માટેના સુચનો, વિચારો અંગે પત્રકારો સાથે અનઔપચારિક બેઠકમાં રજૂ થયા હતાં.

આ પ્રસંગે ગીરીશભાઇએ રજૂ થયેલ. સુચનોની નોંધ કરાવી સકારાત્મક અભિગમ બનાવ્યો હતો. ભાવનગરની વિકાસની શકયતા અને શિક્ષણ જગત સાથે સુપરિચિત એવા ઉપકુલપતિ મળ્યાનો આનંદ પત્રકારોએ વ્યકત કરી ગીરીશભાઇને આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતાં.

લોકાર્પણ સમારોહ

ભાવનગર યુનિ.ના અટલ ઓડીટોરીયમનો લોકાર્પણ કાર્યક્રમ તા. ર૩ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે યોજાનાર છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબહેન દવે, મેયર શ્રી મનભા મોરી વગેરે ઉપસ્થિત રહેશે. ભાવેણાની જનતાને અદ્યતન ઓડીટોરીયમની સુવિધામાં ઉમેરો થશે. (પ-૮)

(12:24 pm IST)