Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભાવનગરમાં કલાત્મક તાજીયાના ઝુલૂસ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા. ર૧ :   ભાવનગરમાં કલાત્મક તાજીયાના ઝુલૂસ નીકળ્યા હતા તાજીયા જોવા નજીકનાં ગામોનાં લોકો પણ ભાવનગર આવ્યા હતા.

મુસ્લિમ બિરદારોનાં પવિત્ર મહોર્રમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં ૩પ સહિત જીલ્લા પરમાં કુલ ૧રપ જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયાનાં ઝુલૂસ નીકળ્યા હતા જેમાં હજારો મુસ્લીમ બિરાદરો જોડાયા હતા. હિન્દુઓ એ પણ આસ્થાભેર તાજીયાના દર્શન કર્યા હતા મહોર્રમ પર્વે કોમી એખલાસનો માહોલ જોવા મળ્યો હતો. આજે મુસ્લિમ બિરાદરોએ જુમ્માની અને યૌમે આસુરામ ખાસ નમાજ પણ અદા કરી હતી. શહેર ઉપરાંત જીલ્લાનાં પાલીતાણાના મહુવા, તિધેર સહિત તાલુકાઓમાં પણ તાજીયામાં ઝુલૂસ નીકળ્યા હતા. (૯.ર)

(12:30 pm IST)