Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભાવનગરમાં સ્વાઇન ફલુથી મહિલાનું મોતઃ મૃત્યુ આંક ૩

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ર૧:  ભાવનગરમાં સ્વાઇન ફલુથી વધુ એક મહિલાનું મોત નિપજતા સ્વાઇનફલુથી મૃત્યુ આંક ૩ થયો છે. હજુ પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે.

ભાવનગરમાં સ્વાઇન ફલુને કારણે વધુ એક મહિલાનું મોત નિપજતાં ર૪ કલાકમાં બે સહિત કુલ મૃત્યુ આંક ૩ થયો છે. ભાવનગરની હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ વલભીપુરની એક વૃધ્ધાનું સ્વાઇનફલુથી મોત નિપજયું છે.

હાલમાં સ્વાઇનફલુમાં પાંચ દર્દીઓ ભાવનગરમાં સારવાર લઇ રહ્યા છે. જયારે ત્રણ સ્વાઇનફલુનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓ દાખલ છે જેનાં રીપોર્ટ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. સ્વાઇનફલુથી ૩નાં મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. (૭.૧૪)

(12:21 pm IST)