Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જામનગરમાં ખુલ્લા વિજ સબ સ્ટેશનો : વિજ તંત્ર નિંદ્રામાં

જામનગર, તા. ર૧ : જામનગરમાં PGVCL નું તંત્ર દ્યોર નિદ્રામાં છે. અવારનવાર પ્રિમોન્સૂન કામગીરીના નામે આંધણ કરવામાં પ્રચલિત એવા વિજતંત્રના અધિકારીઓ ઠેક ઠેકાણે સપ્ટેશન આડે ઝાળીઓના સેફટીગાર્ડ લગાવવાની કામગીરીકરી છે.પણ જયાં લોકોની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં અનેક સ્થળોએ હજી સપ્ટેશન ખુલ્લા જોવા મળી રહ્યા છે.

જામનગરમાં આવેલ ગ્રેઇન માર્કેટમાં આ ખુલ્લું સપ્ટેશન અકસ્માત નોતરે તેમ છે. આશાપુરા હોટલ ની પાસે, બારદાન વાળા રોડ પર આ સપ્ટેશન ખુલ્લુ પડ્યું છે. વિજ વિભાગના અધિકારીઓ આ ખુલ્લા પડેલા આ સપ્ટેશન જાણે કોઈ અદ્યટિત દ્યટના બને તેની રાહ જોઈ રહ્યા છે કે, શુકે, પછી અદ્યટિત દ્યટના બને એ પછી જ આ જગ્યા એ સેફ્ટી ગાડઙ્ખ લગાડવામાં આવશે. વિજવિભાગ દ્વારા સપ્ટેશનને ફરતે સેફટીગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રેઇન માર્કેટ સહિત અનેક સ્થળોએ હજી પણ સેફટીગાર્ડ નથી લાગ્યા તે જોતા લાગી રહ્યું છે કે, લાગતુ વળગતુંંતંત્ર ઘોર કુંભ કર્ણ નિંદ્રામાં છે. (તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(1:13 pm IST)