Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વાંકાનેરના હસનપરમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતાં કોળી દંપતિ પર હુમલો

જેન્તીએ લોખંડના પાઇપથી બંનેને ફટકારતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૧: વાંકાનેરના હસનપર શકિતપરામાં રહેતાં ઘનશ્યામ રામજીભાઇ બાબરીયા (ઉ.૩૮) નામના કોળી યુવાન અને તેના પત્નિ ચંપા ઘનશ્યામ બાબરીયા (ઉ.૩૫) પર પડોશી જેન્તી ગીરધરભાઇ મકવાણાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

ઘનશ્યામ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના સગાના કહેવા મુજબ જેન્તી ઘર નજીક અપશબ્દો બોલતો હોઇ તેને દૂર જવાનું કહી સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ઘનશ્યામને બચાવવા તેના પત્નિ વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.

(11:56 am IST)