Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જામ કંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સાતમો સરસ્વતી સન્માન સમારોહ

જામકંડોરણા તા ૨૧  : તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ તગા જામકંડોરણા તાલુકા રાજપૂત (ક્ષત્રિય) યુવક મંડળ દ્વારા સાતમો સરસ્વતી સન્માનસમારોહ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મંત્રીશ્રી ગુજરાત રાજયના અધ્યક્ષ સ્થાને જામકંડોરણા ખાતે શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં યોજાયો હતો. આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગુજરાતન પ્રદેશ કરણીસેના મહિલા અધ્યક્ષ શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ગુજરાત રાજય સંગીત નાટય એકેડેમીના ચેરમેન યોગેશભાઇ ગઢવી, રાજકોટ જીલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો તેમજ પડધરી, ગોંડલ, ઉપલેાટા, લોધીકા, ધોરાજી ,કોટડા સાંગાણી, જેતપુર, વિરપુર સહિતના તાલુકાના રાજણુત સમાજના હોદેદારો અને મોટી સંખ્યામાં જામકંડોરણા તાલુકાભરના રાજપુત સમાજના ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી  હતી. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટયકરી કરવામાંઆવી હતી. જામકંડોરણા તાલુકા રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાએ ઉપસ્થિત દરેકનું શબ્દોથી સ્વાગત કરી સોૈને આવકાર્યા હતા.

આ પ્રસંગે રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કરણીસેનાના મહિલા અધ્યક્ષ શ્રીમતી રીવાબા જાડેજા, ગુજરાત રાજય સંગીત એકેડેમીના ચેરમેન યોગેશભાઇ ગઢવી, રાજકોટ જીલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા એ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેઙ્ગ સન્માન કરવામાં આવેલ તેમજ તાલુકામાં દાનકુંભમાં વર્ષ દરમ્યાન સોૈથી વધુ દાનની રકમ નીકળેલ વ્યકિતઓનું પણ સન્માન કરવામાં આવેલ, તેમજ સમાજના જુદા જુદા ક્ષેત્રે પોતાની ઉચ્ચ કેરિયર બનાવનાર સમાજના વ્યકિતઓનું પણ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગેમોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ લોકોએ હાજરી આપી હતી

(11:55 am IST)