Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ટંકારાના હડમતીયા ગામે તળાવમાં ડૂબી જતા બે માસુમ પિતરાઈ ભાઈઓના કરૂણમોત

વાંઝા પરિવારમાં શોકનો માહોલ છવાયો

મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.

આ અંગે મળતી વિગત મુજબ તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના આ બન્ને બાળકોના રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. છ વર્ષીય સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા નામના આ બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

(10:11 pm IST)