Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સંવિધાન સળગાવવાના વિરોધમાં પડધરીમાં રેલી-આવેદન

પડધરી : દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે તા. ૯/૮/૧૮ ના રોજ અમુક લોકો દ્વારા ભારત દેશના આધુનિક સંવિધાનને સળગાવવામાં આવ્યું તેમજ અનુ. જાતિ અને અનુ.જનજાતિ વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવેલ તે બાબત તા. ૨૦/૮/૧૮ના રોજ ડો. બાબા સાહેબની પ્રતિમાથી શરૂ કરી નવી મામલતદાર કચેરી સુધીની બાઇક રેલી યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ હતા. અને આ શર્મજનક ઘટનાની યોગ્ય તપાસ કરાવી તાત્કાલીક જવાબદારો સામે તાત્કાલીક પગલા લઇ ગુન્હો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરી, જવાબદાર લોકોને સજા કરવાની માંગણી સાથે મામલતદાર પડધરીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઇ, પડધરી)

(3:19 pm IST)