Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઓખા મંડળના શ્રી નાગેશ્વર મહાદેવના દર્શને પૂનમબેન માડમ

ઓખા : ઓખા મંડળના નાગેશ્વર રોડ પર નંદીહાઉસ ખાતે માણેક પરિવાર દ્વારા ચાલી રહેલ ધર્મોત્સવમાં હાજરી આપવા આવેલા જામનગરના સાંસદ પૂનમબેન માડમ નાગેશ્વરમાં દ્વાદશ જયોતીલીંગના દર્શને પધાર્યા હતા. ઓખા મંડળના મહાજન પ્રમુખ મનસુખભાઇ બારાઇ પરિવાર દ્વારા ચાલતા શિવ રૂદ્રી હવનમાં ખાસ હાજરી આપી હતી. સાંસદનું સ્વાગત બારાઇ પરિવારે કર્યું હતું. નાગેશ્વરદાદાને જલ અભિષેક અને બીલીપત્રના પૂજા અર્ચના કરતા સાંસદ શિવમય બન્યા હતા. અહીંના મહંતશ્રી ગીરધરલાલ ભારથી તથા જગદીશભાઇ શાસ્ત્રી પાસેથી નાગેશ્વર મંદિરની માહિતી મેળવી હતી અને બપોરની સમૂહ પ્રસાદી સર્વે આમંત્રીત મહેમાનો સાથે લીધી હતી અને અહીં પધારેલા સર્વે દર્શનાર્થીને શુભેચ્છા પાઠવી હતી અને ભોળાનાથ શિવ સર્વને સુખ સમૃદ્ધિ આપે અને આપણા જીલ્લા પર શીવની હંમેશા કૃપા બની રહે... તેવી શિવ પાસે પાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા) (૮.૬)

(11:59 am IST)