Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ખંભાળિયા પાસે અકસ્માતમાં સાત જેટલા લોકો ઘવાયા

જામખંભાળીયાઃ ખંભાળિયા- જામનગર ધોરી માર્ગ પર પૂરપાટ ઝડપે લઇ રહેલી કાર તથા બોલેરો વચ્ચે અકસ્માત થતાં બન્ને વાહનોમાં બેસેલા સાત જેટલા મુસાફરો ઘવાયા હતા. આ અકસ્માતની વિગત મુજબ ખંભાળીયાથી જામનગર તરફ જતા હાઇવે પર આશરે આઠેક કીમી દુર એન.આઇ.ઇ. કંપનીની ગોળાઇ પાસે ગુરૂવારે મોડી સાંજે જામનગર તરફ જઇ રહેલ કાર સામેથી આવી રહેલ બોલેરો પીકઅપ વાન સાથે અથડાઇ હતી. કારના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો. સામેની બોલેરો પીકઅપ વાનમા સવાર મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થઇ હતી. અને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.  આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડો સમય ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસે દોડી જઇ ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.

(12:02 pm IST)