Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જામનગર ઓશવાળ એકેડમી દ્વારા અષાઢીબીજે વૃક્ષારોપણ

 જામનગરઃ ઓશવાળ શિક્ષણ રાહત સંઘ સંચાલીત ''ઓશવાળ ઇંગ્લિશ એકેડમી'' દ્વારા અષાઢીબીજના સપરના દિવસે વૃક્ષારોપણ વાલીઓના હસ્તે કરવામાં આવેલ હતુ. જેમા સંતુરા, કરંજ, કદમ, સરગવો, ચંપો, આસોપાલવ તેમજ આંબલીના રોપા રોપવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રી, દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમની સાથે વર્ષ ૨૦૧૮-૧૯ની પ્રથમ પીટીએમનું આયોજન પણ કરેલ હતુ.  વિદ્યાર્થીઓના યુનિફોર્મ, સ્વચ્છતા, શિસ્ત, પોષ્ટિક  આહાર વિશેની જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ ઓરી મીઝલ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વાલીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર

(11:38 am IST)