Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ગારીયાધાર વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન

ગારીયાધાર, તા.૨૨ : છેલ્લા પાંચ દિવસમાં સવાર - સાંજ અને રાત્રીના સમયે તંત્રને ગમે ત્યારે લાઈટો જતી રહેતી હોવાની વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠવા પામી છે જે પ્રશ્ને શહેરીજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. વરસાદી વાતાવરણના કારણે પ્રજાજનોને અસહ્ય ગરમી અને ઉકળાટ થવા પામે છે. જેમાં વારંવાર વિજળી ગુલ થઈ જવાની બનતી ઘટનાને કારણે 'દાઝયા પર ડામ' દીધા બરાબર પરિસ્થિતિ નિર્માણ થાય છે.

શહેરના ડિવીઝનમાં અહિં વિપરીત પરિસ્થિતિ હોય તેવું જણાઈ રહ્યુ છે. વિજળી ગુલ થયા બાદ કલાકો સુધી રીપેરીંગ કરવામાં ન આવવુ હોવાની ફરીયાદો ઉઠી છે.આ તમામ મામલે ડિવીઝન કચેરીના અધિકારીઓ દ્વારા કાળજી લેવાય તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

(11:36 am IST)