Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઉનાના માણેકપુરમાં સહાય માટે ચાલતા રસોડામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જાતે ભજીયા તળ્યા:બાવળો દૂર કર્યા

ઉના સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ ભારે વરસાદને કારણે થયેલી તારાજીને પગલે હજારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉનાના માણેકપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પુરગ્રસ્તોની સહાય માટે ચાલતા રસોડામાં તેમણે ખુદ તાવડા પર બેસી ભજીયા બનાવીને ગ્રામજનોને ખવડાવ્યા હતાં.

  આ ઉપરાંત માણેકપુર ગામ જતો રસ્તો સંપૂર્ણ ધોવાઇ જતા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. રસ્તા પરનો પુલ જર્જરીત બની ગયો હોવા છતાં તેઓ પાણીમાં ચાલીને જર્જરીત પુલ પરથી આ ગામમાં પહોંચ્યા હતા. ધાનાણીએ આ ગામના લોકો અને ખેડૂતોની મુલાકાત લઈ જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. બાદમાં તેઓ માણેકપુરથી ખત્રીવાડા જવા નિકળ્યા હતા. જ્યાં પૂરના પાણીમાં તણાઇને આવેલા બાવળો રસ્તા પરથી ખસેડી રસ્તા પણ સાફ કર્યા હતા

(8:50 pm IST)