Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન, હળવદમાં ૫૦ કાર્યકરો આપમાં જોડાયા

મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાતમાં તાજેતરમાં ઈશુંદાન ગઢવી જોડાયા બાદ સદસ્ય જોડો અભિયાનને વેગ આપવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લામાં પણ સદસ્યતા અભિયાન અંતર્ગત હળવદ તાલુકામાં ૫૦ કાર્યકરો આપ સાથે જોડાયા છે
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા જેમાં મોરબી શહેર કાર્યાલય ખાતે હળવદ તાલુકાના રણમલપુર ગામના ૫૦ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને બદલાવની રાજનીતિમાં કદમ માંડ્યા છે

(8:42 pm IST)