Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સૌરાષ્ટ્રમાં મોરબી સિવાઇના તમામ કલેકટરો નવાઃ જે. બી. પટેલ અણનમ

રાજકોટ તા. ર૧: રાજય સરકારે છેલ્લા એક મહિનામાં કરેલા બદલીના બે-ત્રણ હુકમોમાં મોરબી સિવાઇના તમામ જિલ્લાઓમાં નવા કલેકટર આવી ગયા છે. મોરબીમાં કલેકટર જે. બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવને યથાવત રાખવામાં આવ્યા છે.

સરકારે થોડા દિવસો પહેલા કરેલ હુકમમાં પોરબંદરમાં કલેકટર શ્રી મોદીને બદલીને શ્રી અશોક શર્માને મુકયા હતા. ત્રણ દિવસ પહેલા ૭૭ આઇ.એ.એસ. અધિકારીઓની બદલી થઇ તેમાં સૌરાષ્ટ્રના મોરબીના સિવાઇના તમામ કલેકટરોનો સમાવેશ થયો છે. જેમાં રાજકોટના રેમ્યા મોહન, સુરેન્દ્રનગરના કે. રાજેષ, ભાવનગરના ગૌરાંગ મકવાણા, જામનગરના રવિશંકર, અમરેલીના આયુષ ઓક, દ્વારકાના નરેન્દ્રકુમાર મીના, બોટાદના વિશાલ, જુનાગઢના સૌરભ પારધીનો સમાવેશ થાય છે. મોરબીમાં છેલ્લા લગભગ પોણા બે વર્ષથી ફરજ બજાવતા મોરબીના શ્રી જે. બી. પટેલ એકમાત્ર અણનમ રહ્યા છે. તેમને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(12:30 pm IST)