Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભાવનગરમાં ૧ કોરોના પોઝિટિવ કેસ ૧૨ દર્દીઓ કોરોનામુકત : ૧ દર્દીનું મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૯ કેસો પૈકી ૫૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧ : ભાવનગર જિલ્લામા ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૯ કેસ પૈકી હાલ ૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:45 am IST)