Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૫૦૦ ડઝન કેળાનો શ્રૃંગાર :

વાંકાનેર : બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં આવેલ જગવિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં તારીખ ૅં ૧૯/૬/૨૦૨૧ને શનિવારના રોજ શ્રી હનુમાનજી મહારાજદાદાના નિજ મંદિરમાં પૂજારી સ્વામી દ્વારા પાંચસો ડઝન કેળાનો 'ભવ્ય શણગાર' કરવામાં આવેલ હતો તથા સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે પૂજય શાસ્ત્રી સ્વામીજી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાળાવારા) દ્વારા તથા 'શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી, બપોરે ૧૧:૦૦ કલાકે 'છપન ભોગ અન્નકોટ' ધરાવવામાં આવ્યો હતો , તેમજ કોરોના કાળમાં દિવંગત થયેલા આત્માની સ્મૃતિમાં દાદાના દરબારમાં 'મારૂતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો' શનિવારે આ અનેરા દર્શનનો ઓનલાઇન લાભ તથા રૂરૂ હજારો ભકતજનોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)