Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ભાવનગરના મહુવામાં કચરો નાખવા જેવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ તલવારોથી સશસ્ત્ર હુમલો

બંને જૂથના લોકો ઘવાયાઃ બે લોકોને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા

ભાવનગર તા. ર૧: મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં કચરો નાખવા જેવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. અને એકબીજા પર શસત્ર હુમલો કર્યો હતો. જેમાં બંને જૂથના લોકો ઘવાયા હતા. જેમાં બે લોકોને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ કચરો નાખવા જેવી બાબતે જનતા પ્લોટમાં કેટલાક લોકો તલવારો વડે હુમલો કરવા દોડી આવ્યા હતા. જેમાં ઘાયલ લોકોને મહુવાની હનુમંત હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં વધુ ઘાયલ એવા મુન્નાભાઇ બાંભણિયા સહિત બે લોકોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(4:11 pm IST)