Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જુનાગઢના ૧૧ નાયબ મામલતદારોની બઢતી-બદલી

જુનાગઢ, તા., ૨૧: રાજય સરકારે મોડી સાંજે બઢતી બદલીનાં ઓર્ડર કર્યા છે. જેમાં પ૬ નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશન આપી તેમની બદલી કરાયેલ છે. જુનાગઢના ૧૧ નાયબ મામલતદારને પણ બઢતી મળી છે.

જેમાં જુનાગઢના નાયબ મામલતદાર વિજયકુમાર મનહરલાલ કારીયાને મામલતદારનું પ્રમોશન આપી જેતપુર સીટી, હરસુલાલ કે.ચાંદીગરાને વેરાવળ-સીટી, ધીરજલાલ કરમશીભાઇ સોજીત્રાને નવસારી, કિશોરભાઇ ટી.જોલાપરાને બોટાદ, હિતેશકુમાર છગનલાલ તન્નાને રાજકોટ, કિશોરકુમાર મનજીભાઇ અઘેરાને બઢતી આપી ભાણવડ મુકવામાં આવેલ છે.

જયારે બિંદુબેન હરગોવિંદભાઇ કુબાવતને અમરેલી, ભાવનાબેન નાથાભાઇ વિરોજાને પડધરી, દિનેશ અરજણભાઇ ગીનીયાને વલસાડ, મનસુખભાઇ એમ.કવાડીયાને કચ્છ અને નાયબ મામલતદાર બીપીનકુમાર જેઠાભાઇ સાવલીયાને મામલતદારની બઢતી આપી પોરબંદર ખાતે મુકવામાં આવ્યા છે.

(11:47 am IST)