Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં યોગ દિવસની ઉજવણી

વેરાવળઃ આજે ૨૧ જુન વિશ્વ યોગ દિન નિમીત્તે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાજય સભાના સાસંદ ચુનીભાઈગોહેલ, સાસંદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા કલેકટર અજય પ્રકાશ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ તેમજ જીલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી સહીત હજજારોની સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. (તસ્વીર.અહેવાલઃ દિપક કકક. વેરાવળ)

(1:41 pm IST)