Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કામ બાબતે ઠપકો મળતાં મકાજી મેઘપરના વણકર યુવાનનો આપઘાત

ગોૈતમ બોખાણીએ વાડીએ ઝેર પી લીધું: રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૧: કાલાવડ તાબેના મકાજી મેઘપર ગામે રહેતાં વણકર યુવાનને કામ બાબતે ઠપકો મળતાં માઠુ લાગી જતાં ઝેર પી આપઘાત કરી લીધો હતો.

મકાજી મેઘપર રહેતો ગોૈતમ કાળુભાઇ બોખાણી (ઉ.૩૦) નામનો વણકર યુવાન  ગઇકાલે બપોરે પોતાની વાડીએ ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ગોૈતમ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું તેના પિત્રાઇ ભાઇ વસંતભાઇએ જણાવ્યું હતું.

 કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:16 am IST)