Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

તળાજાના જુની છાપરીમાં ઉધાર વસ્તુની ના પાડતા દુકાનમાં તોડફોડ : નવી કામરોલમાં ભાગીયા બાબતે હુમલો

ભાવનગર, તા. ર૧ : તળાજા પંથકમાં દાદાગીરી ના બનાવો માં થતો વધારોઆમ જનતા વેપારીઓ માટે ચિંતાનો વિષય બનતો જાય છે. આજે જૂની છાપરી ગામે કરીયાણા સ્ટ્રોર ના માલિકે ઉધાર આપવાની ના પાડતા દુકાન માં તોડફોડ કરી દુકાનદાર બે વ્યકિત પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ જૂની છાપરી ગામે કરિયાણાની દુકાનધરાવતા માયાભાઈ ગિલાભાઈ ભુવાબપોર ના સમયે દુકાને બેઠા હતા તે સમયે નાજાભાઈ જીણાભાઈ ભુવા ઉધાર માં વસ્તુ માગતા દુકાનદારે ના પાડતા માયાભાઈ અને દેહુરભાઈ ગિલાભાઈ ભુવા પરઙ્ગ લાકડી વડે હુમલો કરી,દુકાન માં તોડફોડ કરી ઇજાઓ પહોંચાડી, નુકશાન કર્યા ની ફરિયાદ માયાભાઈ ભુવા એ નોંધાવેલ છે.

જયારે તળાજાના નવીકામરોળમાં ઘનશ્યામસિંહ ધીરૂભા સરવૈયા (ઉ.વ.પ૦)ને ગામના જ અનિરૂધ્ધસિંહ વિક્રમસિંહ સરવૈયાએ ભાગીયા બાબતે બોલાચાલી કરીને હુમલો કરીને ઇજા પહોંચાડતા ફરીયાદ થઇ છે.

(11:37 am IST)