Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

બેડલા માવતરે રિસામણે આવેલી મકુબેન પરમારની ઝેર પી આત્મહત્યા

અમદાવાદમાં પતિ સાથે ઝઘડો થતા પગલું ભર્યાનું ખુલ્યું

રાજકોટ, તા., ૨૧: બેડલા ગામે માવતરે આવેલી વાલ્મીકી પરીણીતાએ પતિ સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ અમદાવાદમાં સાસરીયુ ધરાવતી અને છેલ્લા પંદર દિવસથી બેડલા માવતરના ઘરે આવેલી મકુબેન જયેશભાઇ પરમાર (ઉવ.રપ) એ ગત તા. ૧ર-પના રોજ ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મકુબેનનો પતિ સફાઇકામ કરે છે. પતિ સાથે અવાર નવાર ઝઘડા થતા હોઇ તેથી તે છેલ્લા ૧પ દિવસથી માવતરે આવી હતી. આથી ઘરકંકાસના કારણે તેણીએ આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ વી.પી.આહીર અને રાયધનભાઇ આહીરે તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)