Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં પાંચ સિંહએ કર્યો ગાયનું મારણ: લોકોના ટોળેટોળા ઉમટ્યા

સિંહોની ખુલ્લેઆમ આ પ્રકારની હરકતથી ફોરેસ્ટ વિભાગ પણ દોડતુ

 

અમરેલી: ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

સિંહોના સમૂહને નિહાળવા માટે ફોરવ્હીલ અને ટુ વ્હીલ ચાલતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. લોકોએ સિંહને ખુલ્લેઆમ મિઝબાની માણતા જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. સિંહોની ખુલ્લેઆમ પ્રકારની હરકતથી ફોરેસ્ટ વિભાગ પણ દોડતુ થયુ હતું.

(12:27 am IST)