Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ડેલામાં દુષિત પાણીના કારણે રોગચાળો

વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારના સ્વામીનારાયણ ડેલામાં છેલ્લા ઘણા જ દિવસથી ગટરનું મિશ્રણ થયેલ પાણી નળની લાઇનમાં આવી રહ્યુ હોવાની અનેકવાર ફરિયાદો કરવા છતા પણ પાલીકા દ્વારા ધ્યાન ન અપાતા રોષ છે. આ ડેલાના રહેવાસીઓમાં માંદગીમાં સપડાવવાનો ભય પણ વર્તાયો હતો. ત્યારે છેલ્લા પાંચ દિવસમાં પાંચ થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ જેવા રોગની અસર થઇ છે.

જેના કારણે આ ડેલાના પાંચ જેટલા વ્યકિતઓને સારવારમાં ખસેડાયા છે.(૪૫.૨)

(12:22 pm IST)