Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ખંભાળિયાનાં સિંહણ ગામની સરકારી નર્સરી સામે ગંભીર ફરિયાદો

હેમંતસિંહ રાઠોડ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ખંભાળીયા તા.૨૧ : તાલુકાના સિંહણની જંગલખાતાની સરકારી નર્સરી સામે ગંભીર ફરિયાદો ઉઠી છે તથા આ અંગે ઉચ્ચ કક્ષાએ અગ્રણી હેમંતસિંહ રાઠોડે પણ ફરિયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યું કે, સિંહણ નર્સરીમાંથી આંબાના ૧૦૦ રોપા બાજુની ખાનગી વાડીમાં વવરાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત નજીકની એક વાડીના માલિકે કિશાન નર્સરી બનાવી છે. જેમાં તેના મજૂરો કામ કરે તેના બદલે સરકારી જંગલખાતાના મજૂરો કામ કરે છે !!

મજૂરોને મોકલવામાં તથા રોપા સરકારી આપવામાં નાણાકીય વહીવટ પણ થતો હોય આ મુદ્દે ઉંડાણપુર્વકની તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જેથી જંગલખાતાનો ભ્રષ્ટાચાર થતો અટકે તથા જવાબદારો સામે પગલા લેવામાં આવે.(૪૫.૨)

 

(12:21 pm IST)