Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાના દર્દીને લઇ જતી કચ્છની એમ્બ્યુલન્સને માલવણ નજીક અકસ્માત નડતા બેના મોત

રસ્તા ઉપર ઉભેલી ટ્રક અકસ્માતનું કારણ બની : દર્દી સહિત ૨નો આબાદ બચાવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કોરોનાના દર્દીને વધુ સારવાર માટે ભુજથી અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સને માલવણ વિરમગામ પાસે નડેલા અકસ્માતમાં બે ના જીવ ગયા હતા.

ભુજના મોહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માલવણ વિરમગામની વચ્ચે વડગામ ગામ પાસે રસ્તા ઉપર ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

અકસ્માતમાં ભુજના બે યુવાનો ચાલક ધવલ વિનય જોશી (ઉ.૨૮), કંપાઉન્ડર શહેજાદ અનવર સમા (ઉ.૨૫) ના અરેરાટીભર્યા મોત નીપજયા હતા. જયારે દર્દી અને તેમાં પરિવારજન એ બંનેનો આબાદ બચાવ થયો હતો.

(11:15 am IST)