Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

પાલડી ગામે કિશોરીના અપહરણના ૧૩ દિવસ બાદ પણ તપાસ ઠેરની ઠેર

ગારિયાધારઃ ગારિયાધાર પંથકના પાલડી ગામે કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે. જેને ૧૩ દિવસ વિતવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહી કરતા કિશોરીના પરિવારે એસ.પી.ને રજુઆત કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગારિયાધારના પાલડી ગામે રહેતી કિશોરીનું અપહરણ થયુ હતુ. જે અંગે ચાર-ચાર દિવસ તેના પરિવારે આજીજી કરતા પોલીસે ફરીયાદ નોંધી હતી જેમાં આરોપી તરીકે રાહુલ રમેશભાઇ ખાખડીયા અને તેને મદદગારી કરનાર હકુબેન રમેશભાઇ  અને વિજય બાબુભાઇ ખાખડીયા સામે ગુનો  દાખલ કરી  સી.પી.આઇએ તપાસ શરૃ કરી હતી.

દરમિયાન  આ ફરિયાદને ૧૩ દિવસ જેટલો સમય વિતવા છતા તપાસમા પોલીસ આળસવૃતિ દેખાડતી હોય, કીશોરીના પરિવારજનોએ  એસ.પી. ને લેખીતમા રજુઆત કરી હતી. આ અંગેની તપાસની સી.પી.આઇ. ઇન્ચાર્જ ચુડાસમાએ જણાવ્યુ કે ગારીયાધાર પી.એસ.આઇ. પંડયા દ્વારા તપાસ ચલાવાઇ રહી છે જે ચુંટણીની કામગીરીમા વ્યસ્ત હોવાથી ટૂંક સમયમા તપાસ પુર્ણ કરી દેવાશે.

(12:16 pm IST)