Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જામનગરમાં પરશુરામજી શોભાયાત્રામાં વેશભૂષા પરિધાન કરનારા બાળકોનું સન્માન

 જામનગરઃ અહિયા શહેર- જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ પ્રસંગ્રે યોજવામાં આવેલી વિશાળ શોભાયાત્રામાં ધાર્મિક દેવી દેવતાઓ અને ભગવાન પરશુરામના વસ્ત્રોમાં વેશભૂષા પરિધાન કરનાર ૫૦ વધુ બાળકોને વોર્ડ નંબર ૫ મહિલા કોર્પોરેટર અને બ્રહ્મ મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલ પરિવાર દ્વારા બુક સેલર સી.વી.ઠાકરના પ્રફુલભાઇ ઠાકર હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પસંગે પૂર્વ રાજયમંત્રી પ્રો વસુબેન ત્રિવેદી, સોરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી જિલા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, શહેર પ્રમુખ આશિષભાઇ ત્રિવેદી શોભાયાત્રાના કન્વીનર ભાસ્કરભાઇ જોશી, સહ કન્વીનર હાર્દિક દવે, જસ્મની ધોળકિયા, નયનભાઇ વ્યાસ મહિલા પાંખના પ્રીતીબેન શુકલ, દિપ્તીબેન, નિશાબેન, દિપાલીબેન વિગેરેના હસ્તે પણ બાળકોને ઇનામો અપાયા હતા તે તસ્વીરોમાં દર્શાય છે.(૨૨.૧૦)

(12:41 pm IST)