Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કછુઆ ઉન્નાવ પ્રશ્ને વિશાળ મોન રેલી યોજાઇ

કોડીનાર શહેરમાં નમાઝ પછી કાદરી મસ્જીદ ચોક થી  સદભાવના ગૃપ દ્વારા મોૈન રેલી કાઢવામાં આવી હતી. આ મોૈન રેલી મેઇન બજાર સહીત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતાદાર ઓફીસે જઇ આવેદન પત્ર પાઠવ્યું હતું  દેશના વિવિધ વિસ્તારમાં કુછુઆ-ઉન્નાવ-સુરત જેવા શહેરમાં બાળાઓ સાથે ગેંગરેપ અને હત્યાઓ જેવી જનધ્ય ઘટનાઓનો કોડીનાર સમાજ સાથે હિન્દુ સમાજે સદભાવના ગૃપ તળેે રેલી યોજી વિરોધ વ્યકત કરી મામલતદારને આવેદન પત્ર પાઠવી બળાત્કારીઓને ફાંસીની સજા આપવા માંગણી કરી છે. આ મોૈન રેલીમાં હિન્દુ મુસ્લીમ સમાજના  અનેક લોકો હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર

(11:29 am IST)