Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પારેખ પરિવારનો અન્નકુટ મહોત્‍સવ મનોરથ

દામનગર :  સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અન્નકુટ મહોત્‍સવના મનોરથી પારેખ પરેશભાઈ વનમાળીદાસ પરિવાર તરફથી યોજાયેલ. મહા અન્નકૂટ મહોત્‍સવ મનોરથમાં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ એવમ પૂજારી પરિવાર ઉપસ્‍થિતિ રહ્યા. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરના પરમ ભક્‍ત શ્રધ્‍ધાળુ ભાવિક મુંબઈથી પરેશભાઈ વનમાળીદાસ પારેખ પરિવાર દ્વારા શ્રી ભુરખિયા દાદાને મહાઅન્નકૂટ મહોત્‍સવ મહાપ્રસાદના મનોરથી પરમ ભક્‍ત પારેખ સહિત મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી કર્મચારી સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના અગ્રણી સહિત શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્‍ટ અને મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ  દુષયનભાઈ પારેખ ટ્રસ્‍ટી સુધીરભાઈ પારેખ, ટ્રસ્‍ટી જ્‍યેન્‍દ્રભાઈ પારેખ, ટ્રસ્‍ટી લક્ષેયભાઈ પારેખ, ટ્રસ્‍ટી  અમરશીભાઈ પરમાર, ટ્રસ્‍ટી હિંમતભાઈ કટારીયા, ટ્રસ્‍ટી હરજીભાઈ નારોલા, ટ્રસ્‍ટી વજુભાઇ રૂપાધડા, પૂજારી જીતુબાપુ નિમાવત સહિત સમગ્ર ટ્રસ્‍ટી એવમ પૂજારી પરિવાર સેવક સમુદાયની વિશાળ ઉપસ્‍થિતિમાં અન્નકુટ મહા મહોત્‍સવ મનોરથ પુરા શ્રધ્‍ધાભાવથી સંપન્ન થયો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(10:13 am IST)