Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મોરબીના માટેલધામ અને રામધન આશ્રમના દર્શન બંધ

 મોરબી તા. ૨૧: કોરોનાના કહેર સામે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પ્રસિધ્ધ માટેલ ધામ મંદિર તથા મોરબીના રામધન આશ્રમમાં દર્શન અને બીજનો કાર્યક્રામ તા. ૩૦મી સુધી બંધ રાખવામા આવ્યા છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

રવિવારે જનતા કફર્યુમાં જોડાવવા અપીલ

કોરોનાના હાહાકાર વચ્ચે વડાપ્રધાન મહેન્દ્રભાઇ મોદીએ રવિવારે જનતા કફર્યુમાં લોકોને સ્વૈચ્છાએ જોડાવવા કરેલ અપીલને અનુસરવા સિરામીક એસો.ના પ્રમુખ નીલેશભાઇ જેતપરિયા અને રાકધન આશ્રમના મહંત તેમજ લોક કલાકાર હકાભાઇ ગઢવીએ સંયુકત યાદીમાં જણાવાયુ છે.

મોરબીથી ઉદયપુર એસ.ટી.બસ બંધ

મોરબી એસ.ટી.ડેપોની મોરબીથી ઉદયપુર એસ.ટી.બસ કોરોના વાઇરસ સામે સલામતીના ભાગરૂપે બંધ કરવામા આવી છે તેમ યાદીમાં જણાવાયુ છે.

(11:39 am IST)