Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમરેલીના નાના ગોખરવાળા ખાતે યોજાનાર ભાગવત સપ્તાહ મોકુફ

અમરેલીઃ તા. ૨૧: આગામી તા. ૯ એપ્રિલથી નાના ગોખરવાળા મુકામે સ્વ.રમાબેન કાંતિભાઇ ઠાકર તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજનાર ભાગવત સપ્તાહ કોરોના વાઇરસને લઇ સરકારની અપીલને કારણે મુલત્વી રાખેલ છે. તેમ ઠાકર પરિવારની યાદીમાં જણાવેલ છે.

યજ્ઞ મુલત્વી

આગામી તા. ૨૯ માર્ચના રોજ સતીમા તથા વિરાબાપા (બેનભાઇના મંદિરે વિસાવદર મુકામ યજ્ઞ મોકુફ રાખેલ છે. તેની ઠાકર તથા જોશી પરિવારે નોંધ લેવા પુજારી પ્રકાશભાઇ વ્યાસ તથા ચાંદગઢના પત્રકાર ગીરીશભાઇ ઠાકરની યાદીમાં જણાવેલ છે.

કર્મચારીને ચાલુ પગારે રજા આપો

અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય ટીકુભાઇ વરૂએ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી હાલ કોરોના વાઇરસને લઇને રોગચાળો વધુ ન ફેલાય તે માટે જાફરાબાદના લુણસર ગામની સીનટેકસ કંપનીના કર્મચારીઓને ચાલુ પગારે રજા આપવા માંગણી કરી છે.

(11:38 am IST)