Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગોંડલનું રમાનાથ ધામ 22મી સંપૂર્ણ બંધ રહેશે : બાકીના દિવસોમાં પ્રદક્ષિણા-આરતી બંધ રખાશે

ગોંડલના સુપ્રસિદ્ધ રામનાથધામ અંબાજી મંદિર ખાતે કોરોના ની વૈશ્વિક મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે માં અંબાના તેમજ સ્મૃતિ મંદિરના દર્શને આવતા હજારોની સંખ્યામાંથી ભક્તોને કોરોનાના સંકટથી બચાવવા સરકાર તરફથી જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેનું પાલન કરતા સ્મૃતિ મંદિર ની તથા અંબાજી મંદિરની પ્રદક્ષિણા, આરતી બંધ રાખવામાં આવેલ છે આ ઉપરાંત તારીખ 22 માર્ચ રવિવારના જનતા કરફ્યુ ને ધ્યાનમાં લેતા એક દિવસ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે એ સિવાયના દિવસોમાં મંદિરનાદર્શન ચાલુ રહેશે પરંતુ પ્રદક્ષિણા આરતી બંધ રાખવામાં આવશે શ્રી રમાનાથ ધામ ટ્રસ્ટી મંડળ તરફથી દરેક ભક્તજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે

(7:51 pm IST)