Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પોરબંદરમાં યોગ ચિંતન શિબિર

પોરબંદર : તા. ર૦ માર્ચ ર૦૧૮ના પોરબંદર જીલ્લા પ્રસાંશન દ્વારા કલાસ વન અધિકારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ. તેમાં સાંદીપની ઓડીટોરીયમ ખાતે સવારે ૬-૪પ થી ૭-૪પ સુધી યોગ દ્વારા ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ હતો. પોરબંદર પતંજલી યોગ સમિતિ અધ્યક્ષ યોગ શિક્ષક નરેશભાઇ જુંગી અને નિેશભાઇ જોશી દ્વારા યોગ પ્રાણાયમ અને આશનો કરાવેલ અને સ્ટેશમાંથી કઇ રીતે મુકતી મેળવવી તેના માટે ધ્યાનનું પ્રશિક્ષણ આપેલ. આ રીતે ભારતીય પરંપરા મુજબ આ ચિંતન શિબિરની શરૂઆત કરેલ યોગ શિબિરમાં જોડાયેલ અધિકારીઓ તસ્વીરમાં નજરે પડે છે.

(11:31 am IST)